Monday 25 July 2016

જયારે મન મમત્વ છોડીને સર્વસ્વ તરફ વળે છે ત્યારે તેની અંદર માતૃત્વ જાગે છે અને આજ ભાવ સર્વજ્ઞ થઇ જાય ત્યારે તે સંતત્વ તરફ આગળ વધે છે અને સમગ્ર સંસાર માં પ્રેમ ની સુવાસ ફેલાવે છે 

Sunday 10 July 2016

છલકાઈ રહ્યું છે હૃદય પ્રેમ ની ઊર્મિઓ થી,                             વહી રહ્યું છે મન લાગણીઓ ની નરમીઓ થી.                         ઉમટી પડી છે ભરતી અને ઓટ,                                      ભાવના ના ઘૂંઘવાતા દરિયા માં,                                     અનુભવી રહ્યો છું અંતર ના શાંત દરિયા માં,                          નિરંતર અંતર ની વેદનાઓ ને.                                            નથી મળતો સાહિલ ને કદી સથવારો,                              અંતરમન ની અનંતતાનો.                                                    જો વધશે આવેગો ના દરિયા માં ભરોસા રૂપી સ્થિરતા,                     તો તરસે આરોપોના પથ્થર  પણ,     
પ્રેમ ના પુષ્પ બની ભવસાગર ના દરિયા માં .